Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી દુર્ઘટના મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરનું નિવેદન નોંધતી પોલીસ.

મોરબી દુર્ઘટના મામલે ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે તેમજ દુર્ઘટના મામલે સીટની રચના કરવામાં આવી છે જે ટીમ ટેકનીકલ પાસા, કોન્ટ્રાકટ શરતો અને રીનોવેશન કામગીરી સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે ત્યારે આજે ડીવાયએસપી ટીમ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને કચેરીએ બોલાવી નિવેદન નોંધવામાં આવ્યું હતું
મોરબી દુર્ઘટના મામલે બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે જેની તપાસ ડીવાયએસપી ઝાલા ચલાવી રહ્યા છે અને દુર્ઘટના કેસમાં આજે પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે ડીવાયએસપી કચેરીએ ચીફ ઓફિસરે પહોંચી નિવેદન નોંધાવ્યું હતું જોકે તપાસ કે નિવેદન અંગે પાલિકાના ચીફ ઓફિસરે મીડિયાને જવાબ આપવાને બદલે ગોળગોળ જવાબ આપી રવાના થયા હતા તો તપાસ ચલાવનાર અધિકારીએ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું એટલું જ નહિ ચીફ ઓફિસરને ફરીથી નિવેદન માટે બોલાવવામાં આવી સકે છે તેમ પણ સુત્રોએ જણાવ્યું છે.

(8:21 pm IST)