Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

વેરાવળ ખાતે નિરાધારનો આધારના નામે ચાલતી સેવાકીય સંસ્થામાં મહારાજ દ્વારા દિવ્યાંગોને ધાબડા વિતરણ

કોડીનાર : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ના વડતાલ દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતિ પરમ પૂજય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ના રૂડા આશીર્વાદ સહ આજ્ઞા થી ભાવિ આચાર્ય શ્રી ૧૦૮ શ્રી નુગેન્દ્રપ્રસાદજી લાલજીમહારાજશ્રી વેરાવળ,તાલાલા,કોડીનાર,સાસણ દેશ ના હરિભકતો ની શુભેચ્છા મુલાકાત લેવા પધારેલ ત્યારે વેરાવળ ટોલ નાકા પાસે આવેલ નિરાધાર નો આધાર ના નામે ચાલતી સેવાકીય સંસ્થા ની મુલાકાત લીધેલ અને સંસ્થા માં રહેતા તમામ દિવ્યાંગો ને રૂડા આશીર્વાદ સાથે બ્લેન્કેટ નું વિતરણ કર્યું હતું. શ્રીનૃગેન્દ્રપ્રસાદ મહારાજશ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ અનેક આવા ઉમદા સેવાકીય કાર્ય તેમના દ્વારા અવારનવાર થતા જ રહે છે.અને આ તકે તેઓ શ્રીએ સર્વે હરિભકતો ને ધર્મકાર્યો અને પ્રભુભજન સાથે શ્રેષ્ઠ જગ્યા એ જરૂરિયાત મંદો ની સેવા કરવા અપીલ કરી હતી.

(11:40 am IST)