Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જૂનાગઢના મન્‍નતની હત્‍યા કરનારને ફાંસીની સજા આપવા માંગણી

મેયર -ડે.મેયરને આવેદનપત્ર અપાયુ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩  : જૂનાગઢના વાલ્‍મીકી સમાજના યુવાન મન્‍નત અરવિંદભાઇના હત્‍યારાને ફાંસીની સજા આપવાની માંગ ઉઠી છે. ગત ૭ ફેબ્રુઆરીના રોજ મન્‍નતની છીર ઝીંકીને હત્‍યા કરાઇ હતી. ભોગ બનનારના પરિવારને ન્‍યાય મળે તે માટે વાલ્‍મીકી સાજની એક બેઠક મળી હતી. બાદમાં જ્ઞાતિજનોની ગોઘાવાવ પાર્ટી ખાતેથી મનપા અને કલેકટર કચેરી સુધી મહારેલી યોજાઇ હતી. રેલીના અંતે મેયર ગીતાબેન પરમાર તથા ડે.મેયર ગિરિશભાઇ કોટેચા તેમજ સહિતના પદાધિકારીઓ તેમજ કલેકટર તથા એસપી આવેદનપત્ર અપાયુ હતું. મન્‍નતની નિર્મમ હત્‍યા કરનાર શખ્‍સને ફાંસીની સજા આપવાની માંગ વાલ્‍મીકી સમાજના દિનેશભાઇ ચુડાસમાએ કરી હતી. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:48 pm IST)