Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 'શ્રીકૃષ્ણ જન્મોત્સવ' ઉજવણી :

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્યાત ધાર્મિક સ્થાન સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા, શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ સદગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજની આ પાવન તપોભૂમિમાં ભકતોના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં વ્યાસપીઠ ઉપર પૂજય શાસ્ત્રીજી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી મહારાજશ્રી પોતાની મધુર વાણીમાં અનેરા સંગીતની શૈલી સાથે ભાગવત કથાનું રસપાન કરાવી ભાવિકોને ભાવ વિભોર કર્યાં હતા. જે કથામાં ગઈકાલે રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવાયેલ હતો કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ ઓગળીશ દિવસ સુધી આ ભાગવત કથા ચાલેલ દાદાના સહુ હરી ભકતજનોએ ઓનલાઇનના માધ્યમથી કથા શ્રવણનો હજારો ભાવિકોએ ઘર બેઠા લાભ લીધેલ હતો કથા દરમ્યાન અનેક જગ્યાએથી સંતો પધારેલા હતા જે યાદી મંદિરના કોઠારી સ્વામીજી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી તેમજ પૂજય શ્રી ડી.કે.સ્વામીજીની યાદીમાં જણાવેલ છે.

(12:14 pm IST)