Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સિહોરના ઈશ્વરિયા ગામે રોગચાળા સામે ગૌધનને રસીકરણ કરાયું

લંપી રોગચાળાના વાતાવરણ સામે તકેદારી રૂપે ૫૦૦થી વધુ રસી મૂકવામાં આવી

ઈશ્વરિયા:સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ગૌધનમા લંપી રોગચાળાના વાતાવરણ સંદર્ભે રસીકરણ કરાયું છે.

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત ઈશ્વરિયા દૂધ સહકારી મંડળીના સંકલન સાથે પશુ ચિકિત્સક  ધવલભાઈ સોલંકી દ્વારા ગામના ગાય વાછરુંને રસી મૂકવામાં આવી છે.

આયોજનમાં સાથે રહેલ કાર્યકર્તા શ્રી હિતેશગિરિ ગોસ્વામીએ જણાવ્યા મુજબ ઈશ્વરિયા ગામે લંપી રોગચાળાના વાતાવરણ સામે તકેદારી રૂપે ૫૦૦થી વધુ રસી મૂકવામાં આવી, જેનો લાભ પશુપાલકોને મળ્યો છે.

(12:10 am IST)