Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જામનગરમાં અજાણ્‍યા પુરૂષનું મોત : ઓળખ આપવા અપીલ

જામનગર,તા. ૩ : સીટી સી ડીવીઝન પોલીસ સ્‍ટેશન અ.મોત નં. ૪૬/૨૦૨૨ તા. ૨/૮/૨૦૨૨ મુજબ સુનીલ જેઠાલાલ વાઘેલા ચમાર (ઉવ.૪૦) ધંધો -સમાજ સેવક રહે. કોમલનગર શેરી બ્‍લોક નં. ૧૭/૪ જામનગરએ જાહેર કરેલ કે અજાણ્‍યો પુરૂષ (ઉવ.આશરે ૪૫ થી ૫૦) વાળો કોમલનગર ઢાળીયા પાસસે આંબેડકટર બ્રીજ નીચે બેભાન હાલતમાં સુતેલ હોય જેથી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા સદરહું જગ્‍યાએ ઉપરોકત ઇસમને ૧૦૮ ડોકટરશ્રીએ મરણ જાહેર કરતા અત્રે પો.સ્‍ટે.માં અ.મોત દાખલ થયેલ હોય. આજુબાજુમાં પુછપરછ કરતા કોઇ વાલી-વારસ કે સંબંધી મળી આવેલ તેમજ મરણ જનારનું ઓળખ થયેલ ન હોય જેથી પી.એમ. કરાવી ડેડબોર્ડીને જામનગર જી.જી.હોસ્‍પિટલમાં કોલ્‍ડરૂમ ખાતે દિન-૭ માટે રખાવેલ હોય જેથી મરણ જનાર ઇસમનું કોઇ સગા-સંબંધી મળી આવે તો તેની જાણ અત્રે પો.સ્‍ટે. જામનગર સીટી સી ડીવી પો.સ્‍ટે. મો. નં.૦૨૮૮ ૨૫૫૦૮૦૫ ઉપર તથા ત.ક.અ. પો.બસ. ઇન્‍સ. કે.કે.નારીયા મો. નં. ૯૭૭૩૪ ૩૯૧૫૩ પર જાણ કરવા જણાવાયું છે.

(10:59 am IST)