Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પ્રભાસપાટણમાં દંતચિકિત્‍સા કેમ્‍પ

પ્રભાસપાટણ : શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા લોકોની સુખાકારી માટે અવારનવાર વિવિધ કેમ્‍પનું આયોજન  થાય  છે. દર માસની ૧લી તારીખે  દંતચિકિત્‍સા કેમ્‍પ શ્રી સોમનાથ ટ્રસ્‍ટ  ટુરિસ્‍ટ ફેસેલીટી સેન્‍ટર (ટી.એફ.સી)ખાતે કરવાનું  નક્કી થયેલ તે પ્રમાણે કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. શ્રી સોમનાથ ટ્રસ્‍ટ તેમજ  ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્‍ટ હેલ્‍થ એજ્‍યુકેશન રાજકોટના સંયુક્‍ત  ઉપક્રમે કેમ્‍પ  યોજાયેલ. જેમાં  રાજકોટના  ડોક્‍ટરો દ્વારા દંતચિકિત્‍સા, દર્દીઓનું નિદાન કરી સારવાર અર્થે યોગ્‍ય માર્ગદર્શન આપવામાં આવ્‍યું. આ કેમ્‍પનો લાભ ૫૧ દર્દીઓએ લીધો હતો, જેમાં ૩૦ જેટલી બત્રીસી દર્દીઓને આપવામાં આવેલી હતી. (તસ્‍વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:45 am IST)