Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પ્રભાસપાટણમાં યાત્રી સુવિધા માટે એ.સી.ડોરમેટરીનો આરંભ

પ્રભાસપાટણ  : શ્રી ધામ વળંદાવનના પરમ પૂજ્‍ય સ્‍વામી જયકિશનગીરીજી મહારાજના હસ્‍તે શ્રી સોમનાથ  ટ્રસ્‍ટ નિર્મિત એ.સી ડોરમેટરી  યાત્રી સુવિધા માટે ખુલ્લી મુકવામાં આવેલી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્‍ટના એક્‍ઝિકયુટીવ ઓફીસર દિલિપભાઇ ચાવડા તેમજ અધિકારી/ કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ. એ.સી ડોરમેટરીમાં ૪૦ બેડની વ્‍યવસ્‍થા  છે, જેમાં લોકર રૂમ, ટોઇલેટ ,બાથરૂમની અલગ વ્‍યવસ્‍થા છે. શ્રી સોમનાથ દર્શનાર્થે  આવેલ યાત્રિકો  નજીવા ભાડામાં વાતાનુકુલીત  વાતાવરણમાં રહેવાનો લાભ લઇ શકશે.(તસ્‍વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:46 am IST)