Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સૌરાષ્‍ટ્રભરના વ્‍હોરા બિરાદરો આજે સૈયદના સાહેબની વાયેઝનું પ્રસારણ માણશે

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. ૩ :.. સૌરાષ્‍ટ્રભરના વ્‍હોરા બિરાદરો હાલ મોહર્રમ માસના પ્રથમ દસ દિવસ દરમિયાન કરબલાના જાંબાઝ વીર શહીદ હઝરતથ ઇમામ હુસૈન યાદમાં છેલ્લા છ દિવસથી ન્‍યાઝ, વાએઝ, મજલીસ, નમાઝ, માતમ, જેવા અનેક વિવિધ અવસરોમાં ભાગ લઇ પોતપોતાની શ્રધ્‍ધા ન્‍યોછાવર કરી રહ્યા છે ત્‍યારે બુધવારના રોજ રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્‍દ્રનગર, જુનાગઢ, મોરબી, બોટાદ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જેવા જિલ્લાઓ અને જસદણ સહિત વિશ્વભરના ગામો, શહેરોના દાઉદી વ્‍હોરા બિરાદરો માટે આજે છઠ્ઠી ત્રણ કલાકની વાએઝ ગામનાં પ્રતિનિધિ નહીં પણ આજની વાએઝ સેટેલાઇટ દ્વારા પોતાનાં સર્વોચ્‍ચ ગુરૂઓનું પ્રસારણ કરવામાં આવશે તે જગતભરમાં આવેલ વ્‍હોરા સમુદાયના વસવાટવાળા દરેક ગામોના બિરાદરો સાંભળશે-નિહાળશે.

દાઉદી વ્‍હોરા સમાજના આલિકદર મુફદલ સૈફુદીન સાહેબ હાલ ઇંગ્‍લેન્‍ડના પાટનગર લંડન શહેરની હુસેની મસ્‍જિદમાં હિજરી સન ૬૧ માં કરબલામાં બનેલ દર્દનાક બનાવની વાએઝ કહી રહ્યાં છે અને એમના પ્રતિનિધીઓ ગામેગામ આ ગાથા કહેવા ઉપસ્‍થિત છે.

(12:01 pm IST)