Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સાવરકુંડલામાં બિસ્‍માર રસ્‍તા રીપેર ન થાય તો આંદોલનઃ કોંગ્રેસ પ્રમુખની ચિમકી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૩ : નગરપાલિકાના અધિકારી અને પ્રમુખને શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ (કનુભાઇ) ડોડીયા દ્વારા પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવેલ છે જેમાં લોકોને સાવરકુંડલા શહેરી વિસ્‍તારના વોર્ડ નં.૧ થી ૯ સુધીના વિસ્‍તારોમાંથી લોકો દ્વારા અવાર નવાર ફરીયાદો મળી રહી છે કે દરેક વોર્ડના બનેલ રોડ બિસ્‍માર હાલતમાં છે તેઓને રીપેરીંગ કરવામાં આવતા નથી અને હાલ અમરેલી રોડ પર જે રોડના મોટા ખાડાઓ પડેલ છે જેમાં મેટલીંગ કરવામાં આવેલ જે મેટલીંગ કરવાની જગ્‍યાએ મોટા રોડા પથ્‍થરો નાખવામાં આવેલ છ ેજેના કારણે આ રોડ પર ચાલતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન થઇ રહેલ છ.ે

આ અંગેની ગંભીરતા લેવામાં આવતી નથી જેના કારણે આમ જનતા રાહદારીઓ અને મુસાફરો હેરાન થઇ રહેલ છે ેજેથી સાવરકુંડલા શહેરી વિસ્‍તારના રસ્‍તાને રીપેરીંગ કરવા તેમજ અમરેલી છે આ રસ્‍તાઓને વહેલી તકે યોગ્‍ય કરવામાં આવે અન્‍યથા આગામી દિવસોમાં લોકોના હિત માટે આંદોલન કરવાની ફરજ પડશે.

(2:39 pm IST)