Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સોમનાથમાં 'આપ' એ જગમાલ વાળાને ટીકીટ અપાતા આતશબાજીઃ વિજય ઉત્સવ જેવો માહોલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ૩:   આમ આદમીના સુપ્રીમો કેજરીવાલની જાહેરસભાના બીજા દિવસે સોમનાથ વિધાનસભાની ટીકીટ જગમાલ વાળાને ફાળવતા વિજય ઉત્સવ જેવો માહોલ સર્જાયેલ હતો. કાર્યાલયે શુભેચ્છા આપવા ભારે ભીડ જામી હતી.

સાંજે ૭ કલાકે ટાવર ચોકમાં હોદેદારો  - કાર્યકરો દ્વારા ભવ્ય આતશબાજી કરાયેલ હતી,સોમનાથ વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ જગમાલ વાળાને ટિકિટ આપતા તેમના કાર્યાલયે વિજય ઉત્સવ જેવો માહોલ સર્જાયેલ હતો , ટાવર ચોકમાં હોદેદારો-કાર્યકરોએ ભવ્ય આતશબાજી કરી હતી

  ૨૦૧૨માં અપક્ષમાં ઉભા રહેલ તેમાં હાર મળી હતી, ૨૦૧૭માં કોંગ્રેસને ટેકો આપ્યો હતો,

મૂળ ભાજપ સાથે સંકળાયેલ પણ  હવે 'આપ'માં જોડાયેલા જગમાલભાઇ વાળા  અનેક ક્ષેત્રોમાં રાજકીય પક્ષો સાથે ધરોબો ધરાવે છે, હાલ કોને કેટલું નુકશાન કરશે તેનું ભવિષ્ય આવતા દિવસોમાં જોવા મળશે.

(1:23 pm IST)