Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલા તળાવમાં નહાવા ગયેલા ૫ બાળકોના ડુબી જવાથી મોત

પરપ્રાંતીય પરિવારના બાળકોના મોતથી અરેરાટી

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ પાસે તળાવમાં ડુબી જવાથી પાંચ બાળકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં તળાવમાં ન્હાવા પડેલા પાંચ બાળકના ડુબી જતા મોત થયા છે. ધ્રાંગધ્રાના મેથાણ અને સરવાળ વચ્ચે આવેલા તળાવમાં 5 બાળક ન્હાવા માટે ગયા હતા. જ્યા તેમના ડુબી જતા મોત થયા છે. બનાવની જાણ થતા જ ગ્રામ લોકો દ્વારા બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ચાર બાળકી અને એક બાળક મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તળાવડીમાં ન્હાવા માટે ગયા હતા. જેમાં એક સાથે પાંચ બાળકના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. સ્થાનિકોએ આ ઘટનાની જાણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને કરતા પોલીસે ફાયર અને તરવૈયાની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
એક સાથે જ પંથકના પાંચ બાળકના મોત થતા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવને પગલે લોકોના ટોળે ટોળા તળાવની ફરતે ઉમટી પડ્યા હતા.

(5:14 pm IST)