Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

શ્રી ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનું ભાવનગર ખાતે નિધન : સાહિત્ય જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ

 વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ભાવનગર લોકમિલાપ ટ્રસ્ટ ના શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીનું આજે રાત્રે ભાવનગર ખાતે નિધન થયું છે. આવતીકાલે સવારે તેમની અંતિમયાત્રા નીકળશે.

શ્રી મહેન્દ્રભાઈ ઝવેરચંદ મેઘાણીનું અવસાન આજે  તા. ૩ ઓગસ્ટ ૨૦૨૨ રાત્રે ૮ વાગે થયું છે.  આ સમાચારથી સાહિત્ય જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
તેઓની અંતિમ યાત્રા આવતીકાલે તા .4 ના સવારના રોજ ભાવનગર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી નિકળશે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મહેન્દ્રભાઈ ૨૦મી જૂને એકસોમાં વર્ષમાં પ્રવેશ કરેલ હતો

(9:05 pm IST)