Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોરબીના ધોની, માનવ અધારાની અન્‍ડર ૧૯ માંકડ ટ્રોફી માટે પસંદગી

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોની સ્‍ટેટ ટીમ તરફથી કોલકતા રમવા જશે

મોરબી, તા. ૩ : મોરબીના ઉગતા સિતારા એવા માનવ અઘારાની અન્‍ડર ૧૯ વિનોદ માંકડ ટ્રોફી રમવા માટે પસંદગી કરાઈ છે. જેથી મોરબીનો ધોની એવો માનવ અધારા આગામી દિવસોમાં સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોની સ્‍ટેટ ટીમ તરફથી કોલકતા રમવા જશે.

વધુમાં માનવ એક નેચરલ બેટ્‍સમેન અને ખુબ સારો વિકેટ કીપર છે. છેલ્લા ઘણા સમયથી માનવ ૮ થી ૧૦કલાક પ્રેક્‍ટીસ કરી રહ્યો છે. ભારતની ક્રિકેટ ટીમમાં રમવા માંગતા ખેલાડીને ખુબ જ પ્રેક્‍ટીસ અને સમર્પણની ભાવના હોવી જોઈએ સાથે જ પરિવારનો સહયોગ પણ જરૂરી હોય છે કોઈ પણ તહેવાર કે મોજ મસ્‍તીને ૧૦ વર્ષ માટે ભૂલી જવી પડે છે. તો જ ક્રિકેટ ક્ષેત્રમાં કરિયર બનાવી શકાય છે. તેમ કોચ નિશાંત જાની જણાવે છે.

તેઓ ઉમેરે છે કે, ક્રિકેટમાં ખેલાડીઓ પુરતી મહેનત નથી કરતા અને બહાના બનાવતા રહે છે. જેને સાઈડ પર મુકીને તનતોડ મહેનત કરીને માત્ર ક્રિકેટ પર ધ્‍યાન આપીએ તો ૧૦ વર્ષે પરિણામ મેળવી શકાય. મોરબી ડીસ્‍ટ્રીકટ એસોના પ્રેસિડેન્‍ટ કાંતિભાઈ અમળતિયાએ પણ માનવ અઘારાને શુભકામનાઓ પાઠવી છે.

(1:57 pm IST)