Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સલાયાના પત્રકાર-વેપારી મંડળના પ્રમુખ-પાલિકા સદસ્‍ય ભરતભાઇ લાલ ઉપર હુમલો કરનારા ર ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૩: તાલુકાના સલાયાના પીઢ પત્રકાર તથા વર્ષોથી વેપારી મંડળના પ્રમુખ તથા પાલિકાના સદસ્‍ય ભરતભાઇ દામોદર લાલ ઉ. ૭૦ પર બે લોહાણા શખ્‍સોએ હુમલો કરતાં ભારે ચર્ચા જાગી હતી.

ગઇકાલે ભરતભાઇ લાલ તેમના નિત્‍યક્રમ મુજબ સલાયાના જલારામ મંદિરે દર્શન કરવા ગયેલા ત્‍યારે સલાયાના ધીરજલાલ જગજીવન મોદી તથા ભાવેશ જગજીવન મોદી નામના બે ભાઇઓ ત્‍યાં આવીને તું અમારા વિરૂધ્‍ધ વીશી ડ્રોનું કેમ છાપે છે? તેમ કહીને હુમલો કરતા ભરતભાઇ લાલને માથામાં તથા હાથમાં ઇજાઓ સાથે પ્રથમ સલાયા પ્રાથમિક સારવાર લઇને પછી ખંભાળિયાની સરકારી હોસ્‍પિટલમાં અને પછી ખાનગી દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હતા.

બનાવની જાણ દ્વારકા જિ. પં. વડા નીતેશકુમાર પાંડેને થતાં તેમણે આ બાબતે સલાયા પી.આઇ. અભય પટેલને કડક પગલાની સુચના આપતા પોલીસે આ બન્‍ને આરોપીની ધરપકડ કરી હતી.

સલાયાના પીઢ રઘુવંશી અગ્રણી તથા સમાજના પ્રશ્‍નો અંગે સતત જાગૃત અનેક સામાજિક ધાર્મિક કાર્યો કરનાર આ ભરતભાઇ લાલ પરના હુમલાથી પત્રકારો તથા રઘુવંશી અગ્રણીઓમાં પણ રોસની લાગણી ફેલાઇ હતી તથા હુમલાખોરો સામે કડક કાર્યવાહીની પણ માંગ થઇ છે.

(2:06 pm IST)