Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

પોરબંદર લોહાણા મહાજન સંલગ્ન સંસ્‍થાઓ દ્વારા જલારામ જયંતિની સાદગી પૂર્ણ ઉજવણી

પોરબંદર,તા.૩: પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત સંસ્‍થાઓ આયોજીત જલારામ-જયંતિ ઉત્‍સવ સંપન્ન થયો હતો.

મોરબી-પુલની દુઃખદ ઘટનાના પગલે સંવેદના સાથે ઉજવણી અને શોભાયાત્રા સહીતના કાર્યક્રમો સમાજ દ્વારા સ્‍થગિત કરવામાં આવેલ, પરંતુ મોટા પ્રમાણમાં અન્ન-પ્રસાદનો વ્‍યય યોગ્‍ય ન જણાતાં સમુહ પ્રસાદીનો કાર્યક્રમ યથાવત રાખવામાં  આવેલ, લોહાણા મહાજનવાડી પર સાંજે મહા-પ્રસાદ  (નાત-જમણવાર) નુ આયોજન કરવામાં આવેલ જેમા ૨૦,૦૦૦ થી વધુ ભાવિકોએ  પ્રસાદી લઇ પુ.જલારામબાપાના દર્શનનો લ્‍હાવો લીધેલ હતો.

જલારામ જયંતિ ઉત્‍સવ કમિટીનું આ આયોજન લોહાણા મહાજન અંતર્ગત  સહયોગી સંસ્‍થાઓ શ્રી જલારામ મિત્ર-મંડળ, શ્રી પોરબંદર લોહાણા મિત્ર-મંડળ, પોરબંદર લોહાણા યુવાશકિત, લોહાણા મહિલા મંડળ ઉપરાંત  લોહાણા મહાજન-છાંયા, લોહાણા મહાજન-રાણાવાવ, જલારામ સેવા સમિતિ લોહાણા સગપણ માહિતી કેન્‍દ્ર, શ્રી લોહાણા હિતેચ્‍છુક મંડળ, ઇન્‍ટરનેશનલ લોહાણા સમાજ, જલીયાણ ગૃપ, લોહરાણા યુવા સેના,  અખિલ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ રઘુવીર સેના, જલારામ સમાજ સેવા ટ્રસ્‍ટ, જલારામ પદયાત્રા સંઘ, જલારામ સેવા મંડળ, લોહાણા મહાપરિષદ અંતર્ગત સમિતીઓ દ્વારા થયેલ અને જેમાં ૭૦૦થી વધુ સભ્‍યો અને  ૨૫૦ જેટલાં સ્‍વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી, અને સાદગીપુર્ણ આયોજન કરેલ હતું.

ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા, નગરપાલીકા પ્રમુખ સરજુભાઇ કારીયા, પુર્વ પ્રમુખ  પંકજભાઇ મજીઠીયા, ચંદ્રેશભાઇ  સામાણી, કપીલભાઇ  કોટેચા, અને ભાજપ ના આગેવાનો ઉપરાંત કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયા, સામતભાઇ ઓડેદરા,  લાખણશી ગોરાણીયા, અતુલભાઇ કારીયા સહીતના મહાનુભાવો  ઉપસ્‍થિત રહેલ હતા.

આ આયોજનમાં સહકારી આપનાર તમામ દાતાશ્રીઓ, જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ સ્‍ટાફ, ટ્રાફિક બ્રિગેડના સભ્‍યો, નગર સેવા સદન, ફાયરબ્રિગેડ વિભાગ, પીજીવીસીએલ, પ્રીન્‍ટ અને ઇલે. મીડીયાના  સહુ પત્રકારમિત્રો સહીત જે કોઇ સહયોગી બનેલ છે. તે સહુનો લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઇ કારીયા અને આ આયોજનની તમામ સહયોગી સંસ્‍થાના હોદ્દેદારોએ આભાર વ્‍યકત કરેલ હતો.

(11:24 am IST)