Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મોરબી દુર્ઘટનાના તમામ દિવગંતો પ્રત્‍યે સંવેદના વ્‍યકત કરતાં જસદણના હુસામુદ્દીન કપાસી

જસદણ તા. ૩ : મોરબીનાં ઝૂલતા પુલની કારમી દુર્ધટના અંગે રવિવારે સાંજે જ ભાજપના આગેવાનો કુવરજીભાઈ બાવળિયા, ડો.ભરતભાઈ બોઘરા, અશોકભાઈ મહેતા, જીજ્ઞેશભાઈ હીરપરા, દુર્ગેશભાઈ કુબાવત, ગજેન્‍દ્રભાઈ રામાણી, જસદણ નગરપાલિકા પ્રમુખ અનીતાબેન અલ્‍પેશભાઈ રૂપારેલિયા, જસદણ જીઆઇડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ સહિતના આ ઘટના અંગે દુઃખ વ્‍યકત કરી પોતાના ભાગે આવતું કામ સુપેરે નિભાવ્‍યું હતું. જસદણના હુસામુદ્દીન કપાસીએ મૃતકો પ્રત્‍યે અંતઃકરણ પૂર્વક દિલસોજી અને શ્રદ્ધાંજલિ વ્‍યકત કરી હતી. 

(11:24 am IST)