Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

પોરબંદર-રાજકોટ વાયા જામનગર બંધ લોકલ ટ્રેઇન વહેલી તકે શરૂ કરવા લોક માગણી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૩ :.. કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી પોરબંદર-રાજકોટ વાયા જામનગર ટ્રેઇન વહેલી તકે શરૂ કરવા લોક માગણી ઉઠી છે.

પોરબંદર-રાજકોટ વાયા જામનગર લોકલ ટ્રેઇન બંધ થયાને અઢી વર્ષ જેવો સમય વિતી ગયો છે આ ટ્રેઇન પોરબંદરથી જામનગર અને રાજકોટ હોસ્‍પિટલના કામ માટે જતા દર્દીઓ તેમજ અન્‍ય કામ માટે શહેરમાં જતાં લોકોને ઉપયોગ અને સમય અનુકુળ ટ્રેઇન છે પોરબંદર-રાજકોટ વાયા જામનગર ફાસ્‍ટ પેસેન્‍જર ટ્રેઇન (લોકલ) વહેલી તકે શરૂ કરવા માંગણી ઉઠી છે.

(1:09 pm IST)