Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ કચેરીઓએ મૌન પાળ્‍યું

(માહિતી બ્‍યુરો) દેવભૂમિ દ્વારકા : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતોના આત્‍માની શાંતિ માટે કલેકટર કચેરી ખંભાળીયા ખાતે પ્રાર્થના કરવામાં આવી હતી. કલેકટરશ્રી એમ.એ.પંડયા, નિવાસી અધિક કલેકટરશ્રી ભૂપેશ જોટાણીયા સહિતના અધિકારીઓ તેમજ કલેકટર કચેરીના કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી દિવંગતોને શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા. આ ઉપરાંત જિલ્લાની તેમજ તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પણ બે મિનિટનું મૌન પાળી દિવંગતો શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

(1:23 pm IST)