Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

સાવરકુંડલા - તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવરકુંડલામાં પરિવર્તન સંકલ્‍પ યાત્રા સંમેલન યોજાયું

પ્રદેશ કોંગ્રેસ સમિતિ તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર ગુજરાત પરિવર્તન સંકલ્‍પ યાત્રાનું આયોજન કરાયું છે ત્‍યારે ગુજરાતની તમામ વિધાનસભા સીટ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. ત્‍યારે સૌરાષ્‍ટ્ર ઝોન - ર યાત્રાના કો-ઓર્ડીનેટર IAS સંજયભાઇ અમરાણીના માગદર્શન હેઠળ તા. ૧ થી સોમનાથથી શરૂ કરી આ યાત્રા સાવરકુંડલા મુકામે સાવરકુંડલા શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પરિવર્તન સંકલ્‍પ યાત્રા સંમેલનનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં ભાજપ સરકારની નિષ્‍ફળતાઓ અને દિનપ્રતિદીન રોજીંદા જીવનની વસ્‍તુમાં થતો ભાવ વધારો, સ્‍વાસ્‍થ્‍ય સુવિધાઓની દયનીય સ્‍થિતી, કાયદા અને વ્‍યવસ્‍થાની ખાડે પડેલી પરિસ્‍થિતી તેમજ વારંવાર બનતી દુર્ઘટનાઓને સખ્‍ત શબ્‍દોમાં વખોડી કાઢવામાં આવેલ હતી અને ગુજરાતની પ્રજાને આ ભાજપ સરકારથી મુકિત મેળવવા કોંગ્રેસને વિજય તિલક કરવા થનગની રહી છે ત્‍યારે કોંગ્રેસ પણ પ્રજાના પ્રાણ પ્રશ્‍નોને વાંચા આપવા પ્રજાની સમક્ષ આવી રહી છે.

મોરબી મચ્‍છુ નદી પર આવેલ ઝુલતા પુલ તુટવાની દુર્ઘટનાની પણ સચોટ અને ન્‍યાયીક તપાસ થાય તેમજ કસુરદારને ગંભીરમાં ગંભીર સજા મળે તેવી માંગ કોંગ્રેસ પક્ષે કરેલ હતી. આ સંમેલનમાં AICCના સચિવ મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ  અંબરીશ ડેર,પૂર્વ નેતા વિપક્ક પરેશભાઈ ધાનાણી, ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, ધારાસભ્‍ય  પ્રતાપભાઈ દૂધાત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદેદારો, તાલુકા/શહેર પ્રમુખો તેમજ કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા તેમજ આ આયોજનને સફળ બનાવવા સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ ડાવરા તથા સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ (કનુભાઇ) ડોડીયા તથા સાવરકુંડલા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હસુભાઇ સુચકએ જહેમત ઉઠાવી હતી.

(1:16 pm IST)