Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

આજે રાત્રે રાજુલા પાસે શ્રી વિટોલીયા હનુમાનજી મંદિરે અંબરીષભાઇ ડેર દ્વારા થાળ-સંતવાણી-લોકડાયરો

રાજુલા, તા., ૩: અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા - કાતર રોડ, નવી પટોળીના પાટીયા પાસે શ્રી વિટોલીયા હનુમાનજી મહારાજના સાનિધ્‍યમાં થાળ તથા લોકડાયરો સંતવાણી યોજાશે.

જેમાં માયાભાઇ આહીર, શૈલેષ મહારાજ, વિદુર આહીર, ઉર્વિષાબેન આહીર રમઝટ બોલાવશે.

આજે ગુરૂવારે સાંજે ૭ થી ૧૦ દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા રાજુલા-જાફરાબાદ-ખાંભાના કોંગ્રેસના ધારાસભ્‍ય અંબરીશભાઇ ડેર તથા શ્રી વિટોલીયા હનુમાનજી સેવક સમુદાય દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(1:19 pm IST)