Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મોરબી કરૃણાંતિકા : એસ. ટી.વિભાગ દ્વારા દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : મોરબીની કરુણાંતિકાથી દેશ શોકગ્રસ્ત છે. ત્યારે મોરબીના મૃતકોના આત્માની શાંતિ માટે આજે મોરબી ડેપો ખાતે એસ. ટી.વિભાગ દ્વારા મૌન પાળી દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.નોંધનીય છે કે શોકના માહોલ વચ્ચે સમગ્ર ગુજરાત તમામ રીતે મોરબીની પડખે ઊભું છે.

આ આખો નજારો જોઈને કિનારેથી કેટલાક હિંમતવાન લોકો મચ્છુના પાણીમાં કૂદ્યા પણ ખરા. અમુકને હાથ પકડીને, અમુકને ખેંચીને કેટલાક સાહસિકો બહાર પણ લઈ આવ્યા. પરંતુ અંદર જે ખેંચાઈ ગયા, ખૂંપી ગયા તેમનું કોઈ બેલી ન થયું તે ન જ થયું. વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે વધુ રૃપિયા કમાવાની લાલચ જીતી ગઈ અને લોકો જાણે પૈસા ખર્ચીને મોત ખરીદવા ગયા તેવાં દૃશ્યો રવિવારે સાંજથી સતત જોવા મળ્યા.મચ્છુ નદી પરના ઝૂલતા પુલના તૂટવાની કરુણાંતિકાને જ્યારે પણ યાદ કરાશે ત્યારે જીવન અને મોત વચ્ચે ઝોલા ખાતા લોકો જ યાદ આવશે.

(1:31 pm IST)