Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મોરબી Om Vvim કોલેજના વિદ્યાર્થીઓએ પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

મોરબી ઓમ વીવીઆઈએમ કોલેજ દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
મોરબીમાં તા. ૩૦ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડવાની કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા ત્યારે હતભાગીઓની આત્માની શાંતિ અર્હ્તે મોરબી ઓમ વીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીની ગોગા પ્રિયંકાબેન અને ન્યુ ઓમ શાંતિ વિધાલયના વિદ્યાર્થી કુંભરવાડિયા યશનું દુખદ અવસાન થયું હતું ત્યારે મૃત્યુ પામેલા તમામ દિવંગતોના આત્માની શાંતિ અર્થે મોરબી ઓમ વીવીઆઈએમ કોલેજ ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી
જેમાં સંસ્થાના ટ્રસ્ટી નારૂભા જેઠવા, સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશીયા તેમજ તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે હૃદયે શ્રદ્ધાંજલિ પાઠવી હતી

(11:00 pm IST)