Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સાવરકુંડલા ખાતે પીર સૈયદ દાદાબાપુના હસ્તે મસ્જીદે ફરીદાનો સંગે બુનિયાદનો કાર્યક્રમ યોજાયો

 સાવરકુંડલા ખાતે પીર સૈયદ અલ્હાજ દાદાબાપુ કાદરી ના હસ્તે મસ્જિદે ફરીદાનું સંગે બુનિયાદ કરવામાં આવેલ હતું. સાવરકુંડલા અત્રેના મહુવા રોડ ઉપર આવેલ ગુલશને મદીના સોસાયટી ખાતે મસ્જીદે ફરીદાનું સંગે બુનિયાદ પીર સૈયદ અલ્હાજ દાદાબાપુ કાદરી દાદાબાપુના દીકરા પીર સૈયદ મુનિર બાપુ કાદરી અને દાદાબાપુના પૌત્ર પીર સૈયદ નુરાની બાવા, પીર સૈયદ અ કાદરબાપુ તેમજ પીર સૈયદ હમદબાપુના હસ્તે કરવામાં આવેલ હતું. આ મસ્જિદે ફરીદાના મુખ્ય દાતા અને ફૈજે મુહમદી ટ્રસ્ટના પ્રમુખ હાજી સાદિક હાજીભાઈ હાજી મુહમદ અલી શેઠ મોમીન (જોગેશ્વરી) હાજી સદીકભાઈ આ મસ્જિદ પોતાના વાલીદ હાજીયાણી ફરીદાબેન હાજી મુહમદઅલી શેઠ મોમીન ના નામ થી અને પીર તરિકત સરકાર સૈયદ દાદાબાપુ કાદરી દુઆથી તામિર કરાવે છે. આ સંગે બુનિયાદના કાર્યક્રમમાં સાદાતે કિરામ ઉલમાએ કિરામ વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમનું સચાલન હાફિઝ સાદીકે કરેલ હતું. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(10:23 am IST)