Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

'જૂનાગઢ-દેલવાડા' રેગ્યુલર લોકલ મીટરગેજ ટ્રેનને બદલે 'સ્પેશ્યિલ ટ્રેન' કેટેગરીમાં કેમ મંજૂરી અપાઇ ?

સ્પેશિયલ ટ્રેન ગમે ત્યારે બંધ પણ કરી શકાય : સ્પેશ્યિલ ટ્રેનનાં ભાડાના દર પણ ઉંચા : સાંસદને જે નંબરની ટ્રેન શરૂ કરવાની ખાત્રી આપી હતી તેના બદલે અન્ય નંબરની ટ્રેનની મંજુરી ? લોકોમાં અવનવા તર્કવિતર્ક સાથે વ્યાપક ચર્ચા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩: વિસાવદરમાં કોરોનાનાં કારણે છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી બંધ કરાયેલ ત્રણેય મીટર ગેજ ટ્રેનો શરૂ કરવાની માંગ સાથે રેલ્વે સ્ટેશન સામે ચેમ્બર ઓફ કોમર્સનાં નેજા તળે છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે.દરમિયાન કાલે તા.૪થી 'જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ' ટ્રેન શરૂ કરાઇ રહ્યાની રેલ્વે સત્ત્।ાવાળાઓએ જાહેરાત કરી છે પરંતુ આ જાહેરાત સંદર્ભે લોકોમાં અવનવા તર્ક વિતર્ક સાથે વ્યાપક પ્રશ્નાર્થે જોર પકડ્યું છે.

લોકોમાં ચર્ચાતી વિગતો અનુસાર વર્ષોથી વિસાવદરને જોડતી મીટરગેજ ટ્રેનો લોકલ સ્વરૂપે સામાન્ય દરના ભાડાથી જ છે તો કાલથી શરૂ થઇ રહેલ 'જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ' ટ્રેન સ્પેશિયલ કેટેગરીની ટ્રેનનાં સ્વરૂપમાં કેમ શરૂ કરાઇ રહી છે..?ઙ્ગ

લોકો એવી પણ ભીતી વ્યકત કરી રહ્યા છે કે,રેગ્યુલર ટ્રેન સતત ચાલુ રહે જયારે ઉંચા દરના ભાડાના પરિણામે ટ્રાફિકનુ બહાનુ આગળ ધરી સ્પેશિયલ ટ્રેન ગમે ત્યારે બંધ પણ કરી શકાય..!!ઙ્ગ

રેગ્યુલર મીટરગેજ ટ્રેનનાં ભાડા બીલકુલ નજીવા દરના હોય,જયારે સ્પેશિયલ ટ્રેનના ભાડા ઉંચા દરના હોય..!!

ઉપરાંત ઉડીને આંખે વળગે તેવી હકીકત એ પણ છે કે, સાંસદને ડીઆરએમએ જે નંબરની ટ્રેન શરૂ કરવાની રેલ્વે બોર્ડ પાસે મંજૂરી માંગી હોવાનુ લેખીતમાં જણાવ્યું હતું..પરંતુ મંજૂરી અન્ય નંબરની ટ્રેનની મળી હોવાનુ રેલ્વે સત્ત્।ાવાળાઓના નીચે મુજબના અક્ષરસ પત્રો પર દ્રષ્ટિપાત કરતા ખ્યાલ આવી શકશે..!!

સાંસદને ડીઆરએમની ખાત્રી

પશ્ચિમ રેલ્વે ભાવનગર વિભાગનાં ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયેલએ તા.૩૦-૧૧-૨૦૨૧દ્ગક્નત્ન પત્રમાંઙ્ગ જૂનાગઢનાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાને એક લેખિત પત્ર પાઠવી જણાવેલ છે કે, કોવીડ-૧૯નું કારણે બંધ કરેલ 'જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ' ટ્રેન નં.૫૨૯૫૨/૫૨૯૫૧ને ચાલુ કરવા માટે રેલ્વે બોર્ડની મંજૂરી માટે મુખ્ય કચેરીને પત્ર ક્રમાંક : ટી ૪૨૫/૩ તા.૨૪-૧૧-૨૦૨૧ તથા તા.૨૯-૧૧-૨૦૨૧થી મોકલેલ છે અને રેલ્વે બોર્ડની મંજૂરીની સંપૂર્ણ અપેક્ષા છે.દરમિયાન ગાડી ચલાવવા માટે આંતરિક કાર્યવાહી રેલ્વે વિભાગ દ્વારા થઇ ચૂકી છે.જેથી રેલ્વે બોર્ડની મંજૂરી મળવાની સાથે જ ગાડી નં.૫૨૯૫૨/૫૨૯૫૧ 'જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ' તુરત જ ચાલુ કરી દેવામાં આવશે તેમ સાંસદ ચુડાસમાને પાઠવેલ લેખિત પત્રમાં ડીઆરએમ ગોયેલએ જણાવ્યું છે.

પશ્ચિમ રેલ્વે-ભાવનગરનાં વરિષ્ઠ મંડલ વાણીજય પ્રબંધકનાં સત્ત્।ાવાર પત્ર પર એક નજર

પશ્યિમ રેલ્વે - ભાવનગર વિભાગના વરિષ્ઠઙ્ગ મંડલ વાણીજય પ્રબંધક શ્રી માસુક અહેમદે તા.૨-૧૨-૨૦૨૧નું પત્રમાં જાહેર કર્યા મુજબ 'યાત્રિયોની માંગ સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડે તા.૦૪ ડીસેમ્બર-૨૦૨૧દ્મક પશ્યિમ રેલ્વે ભાવનગર ડીવીઝનની જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ (૦૯૫૩૨/૦૯૫૩૧) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે.આ વિશેષ ટ્રેનનુ ભાડુ મેલ/એકસપ્રેસ ટ્રેનનાં સામાન્ય કોચના ભાડા જેટલુ જ રહેશે. ટ્રેન નં.૦૯૫૩૨ જૂનાગઢ-દેલવાડા સ્પેશિયલ જૂનાગઢ સ્ટેશનેથી દરરોજ સવારે ૦૭:૧૫ વાગ્યે ઉપડશે અને બપોરે ૧૩:૧૦ વાગ્યે દેલવાડા સ્ટેશન પહોંચશે.તેવી જ રીતે પરતમાં ટ્રેન નં.૦૯૫૩૧ દેલવાડા-જૂનાગઢ દરરોજ ૧૪:૨૫ કલાકે દેલવાડા સ્ટેશનથી ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને ૨૦:૨૦ કલાકે પહોંચશે.ઉપરોકત ટ્રેન બન્ને દિશામાં તોરણીયા,બિલખા, જૂની ચાવંડ,વિસાવદર, સતાધાર, કાંસિયાનેશ, સાસણ ગીર, ચિત્રાવડ, તાલાલા જંકશન, જંબુર,ગીર હડમતીયા, પ્રાચીરોડ, વેળાવદર, જામવાલા, હરમડીયા, ગીર ગઢડા અને ઉના સ્ટેશને ઉભી રહેશે.રેલ્વે એડમિનિસ્ટ્રેશન મુસાફરોને માસ્ક પહેરવા,સામાજીક અંતરની પ્રેકટીસ રાખવા,સેનેટરાઈઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાનઙ્ગ વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને કોવીડ-૧૯નું તમામ પ્રોટોકોલનુ પાલન કરવા વિનંતી કરે છે'

(12:56 pm IST)