Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમિતભાઇ માટે હેલીપેડ બનાવાશેઃ ૧૧મીએ ઉપસ્થિતી

ભુપેન્દ્રભાઇ અને સી. આર. પાટીલ પણ હાજર રહેશે

રાજકોટ તા. ૩ : સરધાર સ્વામીનારાયણ મંદિર ખાતે આગામી તા. ૧૦ થી ૧૮ ડીસેમ્બર દરમિયાન ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સ્વામીનારાયણ ચિંતનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી ભકતો પધારશે.

મહોત્સવમાં ગૃહમંત્રી અમિતભાઇ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થીત રહેશે. સાથે જ અધિકારીઓ પણ હાજર રહેનાર છે. ઉપરાંત આ મહોત્સવમાં વડતાલ દેશ તથા અમદાવાદ દેશના તમામ સંતો પધારી દર્શનનો લાભ આપશે.

આ કાર્યક્રમમાં અમિતભાઇ તા. ૧૧ ના રોજ રાજકોટ થઇને સરધાર જશેનું એક ટીવી ચેનલના ટ્વીટમાં જણાવાયું હતું. પણ સરધાર સ્વામીનારાયણ મંદિરના સ્વામીજીએ 'અકિલા' ને જણાવેલ કે, અહીં હેલીપેડ બનાવવામાં આવી રહ્યું છે. અમિતભાઇના રાજકોટથી સરધાર જવાના કાર્યક્રમને લઇને કોઇ અધિકારીક જાહેરાત પણ નથી થઇ.

(4:24 pm IST)