Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ભાવનગરમાં ૮ જેસીબી દ્વારા ડિમોલીશન : કંસારાકાંઠામાં ૨૫૦થી વધુ દબાણો દૂર

ભાવનગર તા. ૩ : કંસારાકાંઠના ૨૫૦થી વધુ મકાનોમાં દબાણો તંત્ર દ્વારા તોડી પડાયા હતા. પોલીસ બંદોબસ્ત સાથે મ્યુ. એસ્ટેટ વિભાગે ૮ જેસીબી સાથે ડીમોલીશન હાથ ધર્યું હતું.

ભાવનગર શહેરમાં ચાલી રહેલા કંસારા સજીવીકરણ પ્રોજેકટમાં અડચણરૂપ દબાણકારો દ્વારા સ્વયંભુ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા કંસારા પ્રોજેકટમાં અડચણરૂપ ૬૫૧ દબાણકારોને નોટીસ આપી હતી અને કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરે તે પૂર્વે જ કેટલાક દબાણકારોએ સ્વૈચ્છીક રીતે દબાણ હટાવી લીધા હતા પરંતુ પાકા મકાનોના દબાણો હજુ યથાવત હોય કંસારાકાંઠાના વિવિધ વિસ્તારોમાં ૮ જેસીબી સાથે મ્યુ. તંત્રનો કાફલો ઉતરી પડયો હતો અને ૨૫૦ દબાણો દુર કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે કંસારા સજીવીકરણ પ્રોજેકટ માટે રૂ. ૪૧.૧૫ કરોડ ફાળવ્યા છે.

(10:33 am IST)