Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

દીકરાની બિમારીનું લાગી આવતા ચોરવાડમાં પ્રૌઢ માતાની આત્મહત્યા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૪: દીકરાની બિમારીનું લાગી આવતા ચોરવાડમાં પ્રૌઢ માતાએ આત્મહત્યા કરી લેતા ગમગીની વ્યાપી ગઇ હતી.

ચોરવાડ ખાતે બંદર વિસ્તારમાં રહેતા હીરૂબેન કરશનભાઇ ગોસીયા (ઉંવ.૫૦) પુત્ર છેલ્લા દસેક વર્ષથી માનસિક બિમાર છે.

દીકરાની દવા-સારવાર ચાલુ હતી. આમ છતાં પણ કંઇ ફરક પડતો ન હોવાથી તે બાબતનું લાગી આવતા પ્રૌઢ માતા હીરૂબહેને ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લીધી હતી.  આ અંગે પી.એસ.આઇ જે.એચ.કછોટ વિશેષ તપાસ ચલાવી રહ્યા છે.

(11:21 am IST)