Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

વીરપુર જલારામમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્‍તિ સંગઠન દ્વારા વિજયા દશમીના દિવસે શષાપૂજન

 (કિશન મોરબીયા દ્વારા)વીરપુર જલારામ તા. ૪ : સમસ્‍ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્‍તિ સંગઠન ગુજરાત દ્વારા વિજયા દશમીના પાવન દિવસે સવારે ૮ કલાકે પરંપરાગત વષાોમાં સાફા બાંધીને શાત્રોક્‍ત વિધિથી શક્‍તિપૂજા (શષાપૂજન) કરવામાં આવશે.  જેમાં વિભાગ એકમાં રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા,જામ કંડોરણા તાલુકા સહિતના ગામો વીરપુર મુકામે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે શષાપૂજન કરશે જયારે વિભાગ બેમાં જૂનાગઢ, સોમનાથ, વેરાવળ,  મેંદરડા, તાલાળા તાલુકા સહિતના ગીર વિભાગના ગામો બીલખા મુકામે ખાંટ રાજપૂત સમાજના શ્રી નૂરસતાગોરધામ નૂરસતાગોર દાદાની જગ્‍યામાં શષાપૂજન કરવામાં આવશે. આ શક્‍તિપૂજા શષાપૂજનના પાવન અવસરમાં પધારવા સમસ્‍ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ તેમજ સમસ્‍ત ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓને ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્‍તિ સંગઠનની યાદીમાં જણાવાયું છે.

(11:47 am IST)