Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

જામનગરમાં સિકયુરીટીના ૧૭ જવાનોને કોરોના

રિપોર્ટ પોઝીટીવ આવતા દોડધામઃ સંપર્કમાં આવેલાને કોરોન્ટાઇન કરાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: જામનગરમાં એક સાથે ૧૭ જવાનોને કોરોના પોઝીટીવ આવતા દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની અલગ અલગ જગ્યાએ સિકયુરિટીમાં ફરજ બજાવતા પ્રાઇવેટ સિકયુરીટી કોન્ટ્રાકટરના ૧૭ જવાનોને કોરોના પોઝિટીવ થતા તેમના પરિવારના તેમજ સંપર્કમાં આવેલ વ્યકિતઓને કોરોન્ટાઇન કરેલ છે.

કોરોના પોઝીટીવ જવાનોને સારવાર આપવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

(1:02 pm IST)