Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ભાવનગરમાં ૧૬ કેસ ૧૧ દર્દીઓ કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલ કુલ ૪,૮૧૮ કેસો પૈકી ૫૮ સારવાર હેઠળ

ભાવનગર ,તા.૪ :જિલ્લામા વધુ ૧૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૮૧૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૮ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૧ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા દ્યોદ્યા ખાતે ૧, સિહોર ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના નસીતપૂર ગામ ખાતે ૧ તેમજ પાલીતાણા તાલુકાના નવાગામ ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.મહાનગરપાલિકા વિસ્તારના ૮ અને તાલુકાઓના ૩ એમ કુલ ૧૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૮૧૮ કેસ પૈકી હાલ ૫૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૬૮૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:13 am IST)