Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ટંકારાના છતરમાં ૧૧ વર્ષની તનિષાનું વાડીએ બેભાન થઇ ગયા બાદ મોત

મુળ દાહોદ પંથકના પરિવારે દિકરી ગુમાવતાં શોક

રાજકોટ તા. ૪: ટંકારાના છતરમાં ગોરધનભાઇ પટેલની વાડીએ રહી મજૂરી કરતાં મુળ દાહોદ ગરબાળાના પાંચવડા ગામના દિપક પરમારની દિકરી તનિષા (ઉ.વ.૧૧) રાતે વાડીએ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.હોસ્પિટલ ચોકીના આર. એલ. સાબડે ટંકારા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે બહેન અને એક ભાઇમાં બીજી હતી. બે ત્રણ દિવસથી હાથ પગ દુઃખવાની ફરિયાદ કરતી હતી. મોતનું કારણ જાણવા પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે.

(11:20 am IST)