Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

પોરબંદરમાં કોરાનાની સારવાર દરમિયાન ૩ દર્દીઓના મૃત્યુઃ નવા ૩ કેસ

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૪ :.. જિલ્લામાં કોરાનાની સારવાર લઇ રહેલ ૩ દર્દીઓના મૃત્યુ નીપજયાં હતા અત્યાર સુધીમાં કોરાનાથી કુલ મૃત્યુઆંક ૭૯ પહોંચ્યો છે. ગઇકાલે કોરાનાના વધુ ૩ કેસ આવ્યાં હતાં.

કોરાનાની સારવારમાં રહેલ અન્ય ૩ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સાજા થયેલ દર્દીઓની કુલ સંખ્યા ૬૯૮ પહોંચી છે. જયારે કોરોનના નવા ૩ કેસ રાધેશ્યામ પાર્ક, છાયા તથા બાળવાવદર માંથી આવ્યા છે.

(12:56 pm IST)