Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

આખરે ખંભાળીયાના ઘી નદી પરનો બારપૂલ તોડી પડાયો !!

ખંભાળીયા, તા.૪ : રીલાયન્સ સર્કલ પાસેથી દ્વારકા જતા રસ્તા પર વર્ષો જુનો ધી નદી પરનો પૂલ હતો જેમાં બાર નાલા હોવાની બારપૂલ કહેવાતો હતો. થોડા સમય પહેલાની રસ્તા પર દેવળીયા-કુંરગા નેશનલ હાઇવેનું કામ શરૂ થતાં તથા આ જર્જરીત પૂલ હોય વાહન વ્યવહાર ગામમાંથી ડાયવર્ઝન કરીને શરૂ કરાયેલા હતાં જે પછી આ પૂલની નીચેથી એક લાંબો ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો.

આ પૂલ જર્જરીત થઇ ગયો હોય તથા ત્યાંથી વાહન વ્યવહાર પણ બંધ કરાયા હોય જુનો આ પૂલ જે વર્ષો સુધી દ્વારકા જતા રસ્તા માટે ઉપયોગી થયો હતો તેનું તોતીંગ મશીનોથી તોડી પાડવાની કાર્યવાહી શરૂ થતાં આ વિશાળકાય પૂલને તોડાતો જોવા લોકો ઉમટયા હતા. નવા આયોજન મુજબ ધી નદી પર વિશાળ પૂલ બનતો જે ફોર ટ્રક હાઇવે માટે ઉપયોગમાં લેવામાં આવશે. પૂલનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

(1:03 pm IST)