Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વાંકાનેરના ઢુવા નજીક મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર ત્રણ ઝડપાયા

મોરબી તા. ૫ : વાંકાનેરના ઢૂંવા નજીક મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી કાઢ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે તેઓની પાસેથી રૂ. ૪.૬૩ લાખની કિંમતના ૩૩ મોબાઈલ પણ રિકવર કરવામાં આવ્યા છે.

બાતમી મળી હતી કે પટેલ પાન એન્ડ મોબાઈલ શોપમાંથી ગત તા.૧૮ ડિસેમ્બરના રોજ થયેલ ચોરીના મોબાઈલ ત્રણ શખ્સો વેચવા આવ્યા છે જે હાલ ઢૂંવા જીઆઇડીસી નજીક હોય એલસીબીની ટીમે અરવિંદ મનસુખભાઈ મગવાની રહે. નવાગામ તા. થાનગઢ, રમણિકભાઈ નરશીભાઈ ઉધરેજા રહે. ધારાડુંગળી તા. સાયલા અને મેહુલ ઉર્ફે મેઘો મનસુખભાઈ મગવાની રહે. નવાગામ તા. થાનગઢવાળાને રોકી થેલી તપાસતા તેમાંથી મોબાઈલ મળી આવ્યા હતા.

જેથી એલસીબીની ટીમે આ ત્રણેયની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ ત્રણેય શખ્સો પાસેથી એલસીબીની ટીમે રૂ. ૪,૬૩,૯૪૪ની કિંમતના ૩૩ મોબાઈલ ફોન કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, એ.ડી. જાડેજા, એએસઆઈ એચ.એમ. ચાવડા, પી.એસ.ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, રસિકભાઈ ચાવડા, કૌશિકભાઈ મારવાણીયા, હેડ કોન્સ. દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, ઈશ્વરભાઈ કલોતરા, ચંદુભાઈ કાણોતરા, ચંદ્રકાંતભાઈ વામજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, ફૂલીબેન તરાર તથા કોન્સ. અશોકસિંહ ચુડાસમા, ભરતભાઇ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલા, નિરવભાઈ મકવાણા, નિર્મળસિંહ જાડેજા, આસિફભાઈ ચાણકય, ભરતભાઇ જિલરીયા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, યોગેશદાન ગઢવી, સતીષ કાંજીયા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, નંદલાલ વરમોરા, દશરથસિંહ ચાવડા વગેરે જોડાયા હતા.

(11:29 am IST)