Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જાહેરનામા ભંગ કેસમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો નિર્દોષ છુટકારો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., પઃ જાહેરનામા ભંગ કેસમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો નિર્દોષ છુટકારો થયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ ૨૦૦૮માં જામનગરના ભાજપના ધારાસભ્ય અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

જે કેસ ચીફ જસ્ટીસ શ્રીની કોર્ટમાં આજે ચાલી જતા ધર્મેન્દ્રસિંહ જાડેજાનો નિર્દોષ છુટકારો થયો છે.

આ કેસમાં વકીલ તરીકે મનોજભાઇ અનડકટ, કેતનભાઇ આશર અને જયેન્દ્રસિંહ ઝાલા રોકાયા હતા.

(1:56 pm IST)