Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

મોરબીમાં નિરાધાર ગાયોના નિભાવ માટે આયોજિત મહાપુરાણ કથામાં નિવૃત અધિકારીએ ૧.૫૧ લાખનું અનુદાન આપ્યું.

મોરબી શહેરના રવાપર રોડ પર આયોજિત મહાપુરાણ કથામાં નિવૃત અધિકારીએ નિરાધાર ગાયોના લાભાર્થે ૧.૫૧ લાખનું અનુદાન આપ્યું છે

  રવાપર ગામે ૐ વચ્છરાજ મહાપુરાણ કથાનું આયોજન નિરાધાર ગાયોના નિભાવ માટે કરવામાં આવ્યું છે રવાપર ગામ સમસ્ત દ્વારા મહા પુરાણ કથા આયોજિત કરવામાં આવી છે જેમાં મોરબીના રહેવાસી નિવૃત સેલ્સ ટેક્ષ ઓફિસર વશરામભાઈ અંબારામભાઈ ચીખલીયા અને મંજુલાબેન વશરામભાઈ ચીખલીયા દ્વારા નિરાધાર ગાયોના લાભાર્થે રૂ ૧.૫૧ લાખનું અનુદાન આપી પ્રેરણા પૂરી પાડવામાં આવી છે તેમજ નિરાધાર ગાયો માટે અન્ય દાતાઓ પણ આગળ આવે તેવી અપીલ આયોજકોએ કરી છે.

(9:54 am IST)