Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

વડિયામાં પરશુરામ જયંતિ અને રમજાન ઇદની ભાઇચારાની લાગણી સાથે ઉજવણી કોમી એકતાના દ્રશ્‍યોઃ

 વડિયાઃ વડિયામાં મુસ્‍લિમ બિરાદરોએ મસ્‍જિદમાં નમાજ અદા કરી હતી. તો વડિયાના સંન્‍યાસ આશ્રમ ખાતે હિન્‍દુ ધર્મના અને ખાસ કરીને બ્રહ્મસમાજના લોકોએ પરશુરામ ભગવાનની પૂજા, અર્ચના કરી હતી. જેમાં બંને હિન્‍દુ મુસ્‍લિમ ધર્મના લોકોએ સાથે રહી આ શુભ દિવસની ઉજવણી કરી હતી. એકબીજાને ગળે મળીને શુભકામના પાઠવી હતી. અને મિયા અને મહાદેવ એક બન્‍યા હોય તેમ કોમી એકતા ના અનોખા દ્રશ્‍ય સર્જાયા હતા. જો આવો જ ભાઇચારો સમગ્ર દેશમાં સર્જાય તો ચોક્કસ ભારત દેશ કોમી એકતાથી વિશ્વમાં સંદેશો આપીને તેને મહાસત્તા બનતા કોઇ રોકી શકે નહિ. (તસ્‍વીર-અહેવાલ : ભીખુભાઇ વોરા-વડિયા)

(10:19 am IST)