Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

માલવણ પાસે કાર પુલ સાથે અથડાતા ત્રણના મોત

કચ્‍છથી લગ્ન પ્રસંગ પતાવી પરત કલોલ જતા પટેલ પરિવારને મોડી રાતનાં અકસ્‍માત : ૩ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા. ૫ : ગત મોડી રાત્રીનાં સુરેન્‍દ્રનગર માલવણ કચ્‍છ હાઈવેમાં બે કાર વચ્‍ચે અક્‍સ્‍માત સર્જાયો હતો જેમાં ઈકોકાર અને ઈનોવા કાર સામસામી ધડાકાભેર અથડાતા ગંભીર ઈજાથી ત્રણના મોત થયા હતા જયારે ત્રણને ઈજા થવા પામી હતી.

આ અકસ્‍માતની જાણ થતા ૧૦૮ની મદદથી ધ્રાંગધ્રા સરકારી દવાખાને ખસેડાયેલ જયાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ દવાખાને ખસેડવામાં આવ્‍યા હતાં. અકસ્‍માતને પગલે માર્ગમાં ટ્રાફિક જામ થતાં માલવણ પોલીસે દ્યટના સ્‍થળે દોડી જઈ માર્ગ ખુલ્લો કરાવ્‍યો હતો. મૃતકોની ઓળખ મેળવવા માટે ઈજાગ્રસ્‍તોનાં નિવેદનો લેવા તજવીજ હાથ ધરી છે.

કચ્‍છથી લગ્ન પ્રસંગ પતાવી પરત જઇ રહેલા પરિવારની ઈનોવા કાર પાટડી તાલુકાનાં અખિયાણા ગામ પાસે પુલની દિવાલ સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. તેમાં બે વ્‍યકિતનાં મોત નિપજયા હતા. જયારે ત્રણ વ્‍યકિતને ગંભીર ઈજા થઈ હતી. જેમાં બેના ઘટનાસ્‍થળે અને એકનું સારવાર દરમિયાન મોત નિપજયું છે

પટેલ પરિવાર કચ્‍છમાંથી લગ્નપ્રસંગ પતાવી કલોલ જઈ રહ્યો હતો. ત્‍યારે પાટડી તાલુકાના અખિયાણા ગામ પાસે તેમની ઈનોવા કાર ચલાવતા ડ્રાઈવર વિનોદભાઈ દેવજીભાઈ પટેલે સ્‍ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર પુલની દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી. તેની સાથે કારનો કચ્‍ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્‍માતમાં નડિયાદમાં ભાણજીભાઈ અબજીભાઈ પટેલ અને કલોલ નંદાસણ)નાં દેવજીભાઈ પચાણભાઈ પટેલ નામનાં બે વ્‍યકિતના ગંભીર ઈજા થવાથી મોત થયા હતા.જયારે વિનોદભાઈ પટેલ, રમેશભાઈ હરીભાઈ પટેલ, જેઠાભાઈ નારાયણભાઈ પટેલ અને અરજણભાઈ ભાણજીભાઈ પટેલને ઈજાઓ થઈ હતી. જેથી તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્‍યા હતાં.

(11:52 am IST)