Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ભુજમાં જૈન સાધ્‍વીજી પૂ.સુનંદાબાઇ મહાસતીજીનો સંથારો ૮માં ઉપવાસે સિઝ્‍યો

શ્રી આઠ કોટી મોટી પક્ષ સ્‍થાનકવાસી જૈન સંઘ ભુજ દ્વારા બપોર પાલખીયાત્રા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૫ :  ભુજ મધ્‍યે સાધ્‍વીજી પૂ.સુનંદાબાઇ મહાસતીજીનો સંથારો આજે ૮ માં ઉપવાસે સિઝયો છે. શ્રી આઠ કોટી કોટી પક્ષ જૈન સંઘના કચ્‍છ કેસરી પ. પૂ. આચાર્ય પુનમચંદ્રજી મ. સા. તથા સરળ સ્‍વભાવી પ. પૂ. મણીબાઇ મહાસતીજીના સુશિષ્‍યા પૂ. સુનંદાબાઇ મહાસતીજી આજે ગુરૂવારે સવારે ૩/૩૦ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્‍યા છે. તેમની પાલખીયાત્રા આજે બપોરે ૩ કલાકે ભુજ મધ્‍યે નીકળશે. જેમાં ભુજ સહિત કચ્‍છ, સૌરાષ્ટ્ર અને મુંબઈના જૈન શ્રાવકો મોટી સંખ્‍યામાં જોડાશે. પાલખીયાત્રાનો રૂટ આ પ્રમાણે રહેશે. પ્રાણ સ્‍મૃતિ જૈન સ્‍થાનકથી ડો. ભાદરકા હોસ્‍પિટલ થઈ હોસ્‍પિટલ રોડથી દાદા વાડી જૈન અમર ધામ (સ્‍મશાન) ભુજ મઘ્‍યે પહોંચશે.

(12:17 pm IST)