Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ભાવનગર કાર્નિવલમાં ગ્રીનસીટીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

રાજકોટઃ અખાત્રીજના દિવસે ભાવનગર શહેરના ૩૦૦માં જન્‍મદિન પ્રવેશ નિમિતે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા યોજાયેલ ત્રિ- દિવસીય ભાવનગર કાર્નિવલ-૨૦૨૨માં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, તારકભાઈ શાહ તથા પિયુષભાઈ વ્‍યાસને મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે ગ્રીનસીટી સંસ્‍થાના દેવેનભાઈ શેઠએ જણાવ્‍યું હતું કે આ અમારી સંસ્‍થા માટે ગૌરવરૂપ એટલા માટે છે કે છેલ્લા ૬ માસના ગાળામાં જ આ જ મુખ્‍યમંત્રીશ્રી દ્વારા અમોને બે વખત સન્‍માનીત કરવામાં આવ્‍યા છે અને અમોને વધુ ઉત્‍સાહપૂર્વક કામ કરવાની પ્રેરણા પુરી  પાડી છે.

(3:36 pm IST)