Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ધોરાજીના આર્મી મનોજભાઈ સોંદરવા નિવૃત થતા ધોરાજી પધારતા ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું

ધોરાજી શહેરના વિવિધ સમાજના આગેવાનો વેપારી એસોસીએશન તેમજ નિવૃત્ત ફોજી ઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજીના આર્મી મનોજભાઈ સોંદરવા નિવૃત થતા ધોરાજી પધારતા ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું હતું

  મૂળ ધોરાજીના મનોજભાઈ સોંદરવા દેશની સેવા ખાતર ફોજી જવાન આર્મીમાં 22 વર્ષ સુધી ફરજ બજાવી દેશની સેવા સાથે નિવૃત થતા માદરે વતન પરત આવતા ધોરાજીના આંબેડકર ચોક ખાતે ધોરાજીની વિવિધ સંસ્થાઓ વિવિધ સમાજના આગેવાનો તેમજ નિવૃત્ત ફોજી દ્વારા ભવ્ય સ્વાગત સાથે અભિવાદન શોભાયાત્રા કાઢી હતી
રાજકોટ જીલલાના ધોરાજી તાલુકાના મનોજભાઈ સોંદરવા ફોજી જવાન આર્મીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી પોતાના માદરે વતન પરત ફરતા ધોરાજી માં ભવ્ય સન્માન કરવામા આવેલ હતુ. બાવીસ વર્ષની નોકરી પૂર્ણ કરી પોતાના વતન હેમખેમ પરત ફરતા આ પ્રસંગે નિવૃત્ત ફોજી જવાન ગંભીરસિંહ વાળા વિગેરેફોજી તેમજ ધોરાજી મેઘવાળ સમાજના અશોકભાઈ સોંદરવા જયેશ ભાઈ ચૌધરી કાંતિભાઈ સોંદરવા નરેશભાઈ રાઠોડ રાજુભાઈ બગડા કૌશલભાઇ સોલંકી તુષારભાઈ સોંદરવા વિગેરે સમાજના આગેવાનો તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા ધોરાજી સરકારી વકીલ કાર્તિકેય પારેખ cid પી.એસ.આઇ ચંદ્રેશભાઇ મકવાણા ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ પી.એસ.આઇ તેમજ સ્ટાફ પરિવાર કોંગ્રેસના વરૂણભાઈ વસોયા દિનેશભાઈ વોરા દિલીપભાઈ જાગાણી ચિરાગભાઈ વોરા ગોપાલભાઈ સલાટ ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદના પ્રફુલભાઈ જાની મનીષભાઈ સોલંકી ધોરાજી વિવેકાનંદ પરિવારના રાજુભાઈ એરડા ભાનુભાઈ ઠાકર વિગેરે આગેવાનો તેમજ સમસ્ત ધોરાજી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ,સગા સંબંધી ઓ , રિટાયર્ડ ફોજી જવાનો, દરેક રાજકીય પાર્ટીના કાર્યકર્તા  અને હોદેદારો,સામાજિક સંસ્થાઓ અને વેપારી ઓએ ધોરાજીની જનતા એ માનસન્માન થી ભવ્ય સ્વાગત કરેલ હતુ. આ તકે સૌપ્રથમ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ને શોભાયાત્રા કાઢવામા આવેલ હતી આ શોભાયાત્રામા ધોરાજીના મુખ્ય માર્ગો પર ફરી હતી.
 આ શોભાયાત્રા દરમિયાન દરેક વિસ્તાર માથી નીકળતા લોકોએ તેમજ વેપારી ઓએ ઠેકઠેકાણે ફુલહાર કરી આર્મી મેન મનોજભાઈ સોંદરવાનુ ભવ્ય સ્વાગત અને સન્માન કરેલ હતુ ત્યારે આર્મી મેન મનોજભાઈ સોંદરવાએ ધોરાજી ની જનતા ને ખુબ ખુબઅભિનંદન પાઠવીયા હતા.અને જે પ્રકારે ધોરાજીની જનતાએ દેશની સેવા કરનાર અને નિવૃત થતા માદરેવતન પધારતા ભવ્ય સ્વાગત સાથે સન્માન કર્યું છે તે બદલ ધોરાજીની જનતા નો પણ આભાર માન્યો હતો

 

(9:47 pm IST)