Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા જરૂરિયાતમંદોને રાશન કીટનું કરાશે વિતરણ

મોરબીમાં લોકોને મદદરૂપ બનવા માટે ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે ત્યારે મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરના મહંત પરિવાર દ્વારા દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદોને દર મહિને વદ અગિયારસના દિવસે રાશન કિટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના નીલકંઠ મહાદેવ મંદીરના મહંત ગુલાબગિરી ઘેલુંગિરી ગોસાઈએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, હાલમાં તેઓના પરિવાર દ્વારા દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને દર મહિને વદ અગિયારસે આ રાશન કિટ આપવામાં આવશે અને આ વખતે અગિયારસના દાતા સ્વ. કિશોરીબેન ભુપતરાય દોશીના સ્મરણાર્થે દોશી પરિવાર છે તેવું મહંત ગુલાબગિરી ઘેલુંગિરી ગોસાઈએ જણાવ્યુ છે અને જે લોકોને આ સેવાનો લાભ લેવો હોય તેમણે મો. ૮૮૪૯૬ ૬૪૩૯૦ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે

(9:13 pm IST)