Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મોરબી અને વાંકાનેરમાં આધુનિક સુવિધાઓ સાથે નવા બસ સ્ટેશન બનાવાશે

મોરબીમાં ૫.૫ કરોડના ખર્ચે વાંકાનેરમાં ૪.૫ કરોડના ખર્ચે તૈયાર કરાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૫ :. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ બસ સ્ટેશન તેમજ વર્ક સ્ટેશનનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયો હતો. જેમા મોરબી અને વાંકાનેરના બસ સ્ટેશનનું ખાતમુહુર્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મોરબી બસ સ્ટેશન ખાતે શુક્રવારે સવારે ૫.૫ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામનાર બસ પોર્ટનું ખાતમુહુર્ત ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમજ ૪.૫ કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર વાંકાનેર બસ સ્ટેશનનું ખાતમુહુર્ત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિ સાથે સંપન્ન કરવામાં આવ્યુ હતું.

(1:12 pm IST)