Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા નેત્રકેમ્પ

સાવરકુંડલા : સ્વામિનારાયણ ગુરૂકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દીઓ માટે ૨૯૩માં નેત્રકેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં વિરનગરના ડોકટરો દ્વારા ૧૪૮ દર્દીઓની આંખના રોગની તપાસ કરી હતી. ૯ દર્દીઓનું વિનામુલ્યે ઓપરેશન કર્યુ હતુ. શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી તથા વિરનગરના ડોકટર અને ગુરૂકુળના ડો.ત્રિવેદીના હસ્તે દિપ પ્રાગટયથી કરાઇ હતી. દાતા મહેન્દ્રભાઇ રાઘવજીભાઇ દહીંસરીયા હ.શામજીભાઇ પ્રેમજીભાઇ હિરાણી મધાપર હાલ મોમ્બાસા રહ્યા હતા. સફળ બનાવવા ઘનશ્યામભાઇ કનકોટીયાએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલ : દિપક પાંધી-સાવરકુંડલા)

(1:23 pm IST)