Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ધોરાજી નગરપાલિકાના દ્વારા 292 વેપારીઓને કોરોનાકાળના સમયે તોતીગ ભાડાં વધારો કરી નોટીસો ફટકારી :વેપારીઓ દ્વારા પ્રોદેશીક નગરપાલિકા નિયામકની કચેરીએ પહોચીને ભાડાં વધારો પરત ખેંચવા માગણી કરાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી;ધોરાજી નગરપાલિકા એ 292 જેટલા વેપારીઓને કમરતોડ ભાડા વધારો કરી નોટીસો મારતાં વેપારીઓમાં રોષ યાપી ગયેલ છે ભાડાં વધારો પરત ખેંચવા મામલે વેપારી અગણીઓ માજી નગરપતિ હરકીશન માવાણી, દિલીપ હોતવાણી, નીખીલભાઇ વઘાસીયા, સુરેશભાઇ લીમ્બડ, બાલાભાઇ સોલંકી, ધીરૂભાઇ ગોહીલઓએ રાજકોટ પ્રાદેશિક કમિશ્નરને લેખિત રજુઆતો કરાઈ છે
ધોરાજીના વેપારી ઓ એ એ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ધોરાજી શહેરમાં 1980 થયેલ કોમી તોફાનોમાં નગરપાલિકા વિસ્તારોમાં નદી બજાર, દાણાપીઠ બજાર અને તાલુકા શાળા નં. 1 પાસેની વેપારીઓની કેબીનો અને કેબીનની અંદર માલ સામાન સળગી જતા વેપારીઓને પુન: સ્થાપના માટે જે તે સમયે સરકાર અને નગરપાલિકા દ્વારા જમીન ફાળવણી કરાતા વેપારીઓએ સ્વખચે બાધકામ કરાયૂ હતૂ પોસ્ટ ઓફિસ મેઈન રોડ સરકારી હોસ્પિટલમાં પાછળ ના ભાગે અનૂજાતીના આથીક રીતે નબળા લોકોને જમીનો ફાળવણી કરાઈ હતી તેમાં સવખચે બાંધકામ કરી ને રોજગારી વેપારીઓમેળવી રહ્યા છે અન્ય ગરીબ વર્ગના લોકોને રાહત દરે મીનીમમ ભાડાથી જમીન દુકાનો આપવામાં આવેલ અને જનતા બાગમાં નગરપાલિકાએ જમીનો સુખડી વસુલ લઇ ભાડા પટ્ટે આપેલ હતી .

વધૂમા વેપારી ઓ એ જણાવ્યું હતું કે ધોરાજી નગરપાલિકાનાના તંત્ર વાહકો દ્વારા નોટીસો આપીને મોટી રકમ વસૂલાત કરવા માટે નોટીસો અપાઈ છે હકીકતે સરકાર દ્વારા અમોને ટોકન ભાડે ફૂટપાથ ઉપર જમીન અપાઈ હતી આ જમીન ઉપર સ્વખચે જાત મહેનત કરીને દૂકાનોનૂ બાંધકામ કરીને રોજગારી આથીક રીતે નબળા વેપારી મેળવી રહ્યા છે નગરપાલિકા ને અવાર નવાર ભાડૂ ભરવા તથા ભાડા કરાર રીન્યુ કરવાં ધક્કા ખાવા છતાં તંત્ર વાહકો દ્વારા કોઈ કાયવાહી કરાઈ ન હતી

  હાલમાં કોરોના મહામારીના સમયે નગરપાલિકાની તંત્ર વાહકો દ્વારા કમ્મરતોડ તોતીગ ભાડાં વધારો કરીને નોટીસો અપાયેલ છે નગરપાલિકાની તંત્ર વાહકો દ્વારા વેપારી ઓ ને સાંભળ્યા વગર એકતરફી અન્યાયી કાયવાહી સામે વેપારીઓએ કમ્મરતોડ તોતીગ ભાડાં વધારો ધટાડો કરવાની રજૂઆત કરાઈ છે

ધોરાજીના વેપારી અગણીઓ માજી નગરપતિ હરકીશન માવાણી, દિલીપ હોતવાણી, નીખીલભાઇ વઘાસીયા, સુરેશભાઇ લીમ્બડ, બાલાભાઇ સોલંકી, ધીરૂભાઇ ગોહીલ પ્રતિનિધિ મંડળે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને રજૂઆત કરાઈ છે
ધોરાજી શહેર કોરોનો મહામારીના સમયે લોકો ધંધા રોજગાર વિહોણા બની ગયેલ છે પરિવારો ની આજીવીકા ચલાવી મૂશ્કેલ બની રહેલ છે ત્યારે પ્રોદેશીક નગરપાલિકા નિયામકના પત્ર અન્વયે નગરપાલિકાના તંત્ર વાહકો દ્વારા વેપારીઓની હકીકત રજૂઆતો સાંભળ્યા વગર કમરતોડ ભાડા વધારો કરીને નોટીસો આપવાના મામલે વેપારી ઓ મા રોષ યાપી ગયેલ છે વેપારી ઓ ચિંતીત બની ગયેલ ત્યારે તંત્ર વાહકો દ્વારા વેપારીઓને રાહતલક્ષી નિણયો કરવા ની લોક માંગ ઉઠી

(7:23 pm IST)