Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જૂનાગઢના એડવોકેટ સ્વ. પરેશભાઇ જોશી બાદ તેમના ભાઇ જનકભાઇનું પણ કોરાનાથી નિધન

પરિવારના બે સભ્યોના મૃત્યુથી જોશી પરિવારમાં ગમગીની

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. પ : જુનાગઢના એડવોકેટ સ્વ. પરેશભાઇ જોશી બાદ તેમના ભાઇ જનકભાઇ જોશીનું પણ કોરોના નિધનથી ગમગીની વ્યાપી ગઇ છે.

જુનાગઢ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ અને એડવોકેટ પરેશભાઇ જોશી તેમજ તેમના ધર્મપત્ન કોર્પોરેટર આરતીબેન જોશી ઉપરાંત ભાઇઓ જનકભાઇ, જયદેવભાઇ અને ઋચિકભાઇને તાજેતરમાં કોરોના થતાં સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મૂકાય ગયો હતો.

ગત તા.રપ જુલાઇના રોજ એડવોકેટ પરેશભાઇ જોશીએ કોવિડને લઇ અંતિમ શ્વાસ લીધા હતાં અને ગત રાત્રે તેમના લઘુબંધુ એડવોકેટ જનકભાઇ જોશીનું પણ કોરોનાને કારણે અવસાન થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આમ માત્ર ૧૧ જ દિવસમાં જોશી પરિવારના બીજા મોભીનું પણ નિધન થતાં સમગ્ર બ્રહ્મસમાજ પણ આઘાતમાં ગરકાવ થઇ ગયો છે.  સ્વ. એડવોકેટ પરેશભાઇ જોશી બાદ જનકભાઇ જોશીની પણ ચિર વિદાયથી કોર્પોરેટર આરતીબેન જોશી, જયદેવભાઇ જોશી, ઋચિકભાઇ અને યમુભાઇ જોશી સહિત પરિવારજનોને બ્રહ્મસમાજના આગેવાનો, ભાજપના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સગા-સ્નેહીજનોએ ટેલીફોનિક દિલસોજી પાઠવીને સદ્ગતને શ્રદ્ધાંજલી અર્પી હતી.

(11:21 am IST)