Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સુરેન્દ્રનગરમાં કોરોના પોઝીટીવ ૧૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ

સુરેન્દ્રનગર,તા.૫: સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની એક  યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગરના વતની ગીતાબેન નટવરલાલ, પુષ્પાબેન શાંતિલાલ પટેલ, કરીમભાઇ યાકુબભાઈ જાંગડ, મલુભાઈ મારણીયા, બાબુભાઈ પરમાર, હિંમતભાઈ કાનજીભાઈ રામાણી, રાધાબેન કાનજીભાઈ ડાભી, ભાનુબેન મગનભાઈ મકવાણા, અમરશીભાઈ લક્ષ્મીચંદ કંસારા અને રફિકભાઈ દાઉદભાઈ મમાણીને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

તેમની સઘન સારવાર બાદ આ તમામ દર્દીઓને તાવ,ઙ્ગશરદી,ઙ્ગખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૪ ઓગસ્ટ -૨૦૨૦ ના રોજ કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(11:29 am IST)