Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પોરબંદરમાં કોરાનાથી વૃધ્ધનું મોત

પોરબંદર તા. પ :.. જલારામ કોલોનીમાં રહેતા ૭૧ વર્ષના વૃધ્ધનો કોરાના પોઝીટીવ રીપોર્ટ બાદ તેનું સારવારમાં મોત નિપજયું છે.

ગઇકાલે કોરોના શંકાસ્પદ ૯૦ કેસના દર્દીઓના સેમ્પલ લઇને જામનગર મોકલ્યા હતાં જેમાં ૮૯ કેસના રીપોર્ટ હજુ પેન્ડીંગ રાખેલ છે. એક કેસમાં જલારામ કોલોનીમાં રહેતા વૃધ્ધનો કોરાના પોઝીટીવ રિપોર્ટ આવેલ અને તેનું સારવારમાં મોત નિપજયું હતું.

ભાવસિંહજી સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હાલ કોરાના પોઝીટીવ ૧૯ દર્દીઓની સારવાર ચાલી રહેલ છે જિલ્લામાં કોરાના પોઝીટીવ કેસની અત્યાર સુધીની સંખ્યા ૧૬૬ પહોચી છે.

(1:06 pm IST)