Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

૯ દિવસથી પવનને કારણે ગિરનાર રોપ-વે બંધઃ પ્રવાસીઓ પરેશાન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.પ : ગિરનાર રોપ-વે છેલ્લા  ૯ દિવસથી બંધ રહેતા પ્રવાસીઓ પરેશાની સાથે મુશ્કેલીમાં મુકાય ગયા છે.

ગત તા.ર૭ જુલાઇથી બંધ રહેલ ગિરનાર રોપ-વે આજે પાંચમા દિવસે પણ બંધ રહયો છે.

ઉષા બ્રેકો કંપનીના વિજયન હેડ દિપક કપલીસે ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, આજે પણ પવનનાં કારણે ગિરનાર રોપ-વે પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખી બંધ રાખવાની ફરજ પડી છે.

ગિરનાર રોપ-વે બંધ રહયાને કારણે પ્રવાસીઓમાં મુશ્કેલીમાં મુકાય ગયા છે.

(12:46 pm IST)